ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા


SHARE







માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા

મોરબી જિલ્લાના ભાજપના સક્રિય કાર્યકર અને માળીયા નગરપાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલર તેમજ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને સામાજિક આગેવાન યુવા નેતા આમીનભાઈ ભટ્ટીએ ભાજપ સાથે છેડો ફાડીને પંજાનો હાથ પકડી લીધેલ છે અને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના હસ્તે ખેસ પહેરીને રાષ્ટ્રહિતની વિચારધારા સાથે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયાએ જણાવ્યુ હતું કે, આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂતાઈ સાથે લોકહિતના પ્રશ્નોને વેગ આપશે અને જનતા વચ્ચે સક્રિયપણે કાર્ય કરશે. અને ખાસ કરીને યુવાનોને વધુમાં વધુ તક આપીને પક્ષને મોરબી જીલ્લામાં વધુ મજબૂત બનાવવામાં આવશે.






Latest News