મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર: મહામંત્રીમાં નિર્મલભાઈ જારીયા, તપનભાઇ દવે અને ચતુરભાઈ મકવાણાની વરણી મોરબીની મચ્છુ નદી ઉપર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા ડાઉનસ્ટ્રીમ બ્રીજના ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ મોરબી મહાનગરપાલિકા દ્વારા વીસીપારામાં 9.37 કરોડના ખર્ચે પીવાના પાણીની નવી પાઇપ લાઇનની કામગીરી હાથ ધરાઇ મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો મોરબીની ધી.વી.સી હાઇસ્કૂલ અને વિવેકનંદ કન્યા શાળામાં માતૃભાષા મહોત્સવની ઉજવણી કરાશે મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ બંધ પડેલ કારખાનામાં પતરા અને કેચી (એંગલ) ઉતારવા માટેનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો રાખવામા આવ્યા ન હતા અને કામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકાયો હતો જેથી માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જો કે, તેને સારવારમાં લઈને આવ્યા હતા ત્યાર રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી જેથી કરીને બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના સાળા દ્વારા કારખાનાના બે માલિક સહિત કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત ચક્કીની બાજુમાં રહેતા વિજયભાઈ લાલજીભાઈ ઇન્દરિયા (45) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપભાઇ પટેલ, હિરેનભાઈ પટેલ, ગોપાલભાઈ, જીતેન્દ્રભાઈ રંગપરિયા અને અંબારામભાઈ રંગપરિયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપની સામે બંધ હાલતમાં જીતેન્દ્રભાઈ અને અંબારામભાઈનું લુકાસો સિરામિક નામનું કારખાનું આવેલું છે અને આ કારખાનામાં પતરા અને કેચી કાઢવા માટેનું કામ જયદીપભાઇ, હિરેનભાઈ અને ગોપાલભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું અને રાત્રિના અંધારામાં સેફ્ટીના કોઈ સાધનો રાખ્યા વગર કામ કરતા હતા ત્યારે ફરિયાદીના બનેવી વિક્રમભાઈ પરસોતમભાઈ પાટડીયા (35) રહે. ભવાનીનગર વિસ્તારમાં વીસીપરા મોરબી વાળા 25 ફૂટની દિવાલ ઉપરથી નીચે પડ્યા હતા જો કે, તેને તાત્કાલિક સારવાર માટે લઈને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી અને ફરિયાદીના બનેવીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે આરોપીઓએ રાખેલી બેદરકારી અને રાજ્ય સેવકને ખોટી માહિતી આપેલ હોવાથી મૃતકના સાળાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચેય શખ્સોની સામે સાઅપરાધ માનવવધનો ગંભીર પ્રકારનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News