મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી બે 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત
Breaking news
Morbi Today

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ


SHARE











મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ

મોરબી શહેરી વિસ્તારમાં આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આવતીકાલે શિવરાત્રીને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને મોરબી શહેરી વિસ્તારની અંદર આવેલા તમામ પ્રકારના કતલખનાને બંધ રાખવા માટેનો આદેશ કર્યો છે. તેમજ મોરબી શહેર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ શિવરાત્રીના દિવસે માસ, મટન, ચિકન અને મચ્છીનું વેચાણ ન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી થાય તેના માટે તેને સંબંધિત વિભાગના અધિકારીને જાણ પણ કરવામાં આવી છે અને જાહેરનામનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 329 અને 336 હેઠળની કાર્યવાહી થશે તેવું મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યુ છે.






Latest News