મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

14 ફેબ્રુઆરીએ ઠેર ઠેર વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિને બદલે ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવાનો મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે અને આજે શાળામાં માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીમાં સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે 14 ફેબ્રુઆરીમાતાપિતા પૂજન દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં શાળામાં અભ્યાસ કરતાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓએ શાળામાં માતા પિતાનું પૂજન કર્યું હતું કાર્યક્રમમાં 50 જેટલા વાલીઓ તેમજ શાળાના ટ્રસ્ટી કમલેશ ગુરુજી, પ્રધાનચાર્ય ગણેશ ગુરુજી અને વિવેક ગુરુજી સહિતના હાજર રહ્યા હતા આ તકે બાળકોને માતા પિતા પૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભારતીય સંસ્કૃતિનું વિદ્યાર્થીઓ નાનપણથી જ અનુકરણ અને જતન કરે તેના માટેનો પ્રયાસ આ શાળા દ્વારા કરવામાં આવે છે.






Latest News