મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી નીકળ્યો


SHARE











મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી નીકળ્યો

મોરબીના લાલપર ગામ પાસે રહેતો યુવાન કેનાલમાં ન્હાવા માટે થઈને પડ્યો હતો ત્યારે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ કેનાલના પાણી સાથે તેનો મૃતદેહ મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી પહોંચ્યો હતો જેથી તેના મૃતદેહને ત્યાંથી પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પ્રિયાગોલ્ડ કારખાનાની બાજુમાં રહેતો ગૌતમ બાબુલાલ હાડા (24) નામનો યુવાન તા.૧૦-૨ નાં સાંજે ૬;૩૦ વાગ્યે લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યા તે પાણીમાં ડૂબી ગયો હતો ત્યારબાદ તેનો મૃતદેહ પાણીમાં તણાઈને મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી પહોંચી ગયો હતો જેથી ત્યાંથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા ગલ્લારામભાઈ (50) નામના આધેડને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News