હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સમૃદ્ધિ પેલેસમાં રહેતા યુવાનના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા ત્યારથી તે ગુમસુમ રહેતો હતો અને તેને લાગી આવતા તે યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસ બ્લોક નંબર 701 માં રહેતા જયદીપભાઇ ચંદુલાલ સંઘાણી (28) એ પોતાના રહેણાંક મકાનની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની દિનેશભાઈ માકાસણા (52) રહે. રવાપર રોડ ઉમા રેસીડેન્સી ગજાનંદ સોસાયટી વિજયનગર પાછળ મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એ.એમ.જાપડીયાએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા જે બાબતે તેને લાગી આવતા તેને આ પગલું ભર્યું છે.જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.  

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના પાપડીયારી પાસે રહેતા પાવન માનસિંગ માલવી (22) નામના યુવાનને કેનાલ નજીક રાધે કૃષ્ણ કારખાના સામે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અર્ચનાબેન રાજુભાઈ વર્મા (28) નામની મહિલા ભૂલથી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News