મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE













મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા

મોરબી તાલુકાના કોયલી ગામે આજે આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને 23 નવદંપત્તિને વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા.

મોરબી તાલુકાના કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આહીર સમાજના પ્રમુખ રાણાભાઇ હુંબલ તેમજ મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાના માર્ગદર્શન હેઠળ 18 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સમાજને રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા. અને તેઓના આશીર્વાદ સાથે 23 નવદંપતીઓને પ્રભુતામાં ડગ માંડ્યા હતા અને દાતાઓના સહકારથી આ સમૂહલગ્નનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો આટલું જ નહીં સમૂહલગ્નના આયોજન બાદ આયોજકો પાસે જે ભંડોળ વધે છે તેનો ઉપયોગ સમાજની જુદીજુદી શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવે છે જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા સમૂહલગ્ન સમિતિની સમગ્ર ટીમને તેઓની કામગીરી માટે બિરદાવવામાં આવી હતી. જ્યારે મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં એક જ માંડવા નીચે આહીર સમાજની 100 જેટલી દીકરીઓના લગ્ન થાય ત્યારે સમૂહલગ્નનું આયોજન સફળ થયું કહેવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News