મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE











મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા

મોરબી તાલુકાના કોયલી ગામે આજે આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને 23 નવદંપત્તિને વડીલોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડ્યા હતા.

મોરબી તાલુકાના કોયલી ગામે છેલ્લા 17 વર્ષથી આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આહીર સમાજના પ્રમુખ રાણાભાઇ હુંબલ તેમજ મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાના માર્ગદર્શન હેઠળ 18 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સમાજને રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા. અને તેઓના આશીર્વાદ સાથે 23 નવદંપતીઓને પ્રભુતામાં ડગ માંડ્યા હતા અને દાતાઓના સહકારથી આ સમૂહલગ્નનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો આટલું જ નહીં સમૂહલગ્નના આયોજન બાદ આયોજકો પાસે જે ભંડોળ વધે છે તેનો ઉપયોગ સમાજની જુદીજુદી શૈક્ષણિક સંસ્થાઓમાં કરવામાં આવે છે જેથી કરીને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા સમૂહલગ્ન સમિતિની સમગ્ર ટીમને તેઓની કામગીરી માટે બિરદાવવામાં આવી હતી. જ્યારે મોરબી આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં એક જ માંડવા નીચે આહીર સમાજની 100 જેટલી દીકરીઓના લગ્ન થાય ત્યારે સમૂહલગ્નનું આયોજન સફળ થયું કહેવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News