મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

માળીયામાં નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવું કે.ડી.બાવરવાની માંગ


SHARE















ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે, માળિયા (મી.) ખાતે બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે કેમ, ભૂકંપ પહેલા તાલુકા કક્ષાના આ સેન્ટરમાં બસ સ્ટેન્ડની સુવિધા હતા જો કે, તે બસ સ્ટેન્ડ તૂટી ગયા પછી હજુ સુધી સરકાર દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલ નથી  

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, આ અગાઉ પણ માળિયા (મી.) ખાતે બસ સ્ટેશનનું નિર્માણ કરવા માટે રજૂઆત કરી હતી અને માળિયા (મી.) ખાતે મોટું બસસ્ટેશન હતું જેનું નિર્માણ ૧૯૮૦ માં કરવામાં આવેલ હતું.  પરંતુ ૨૦૦૧ માં આવેલ ભયાનક  ભૂકંપમાં આ બસસ્ટેશન સંપૂર્ણ નાશ પામેલ હતું ત્યાર બાદ આજ સુધી માળિયા મીયાણા ખાતે બસસ્ટેશન બનાવવામાં આવેલ નથી. ત્યારે મળિયા(મી.)એ તાલુકા મથક છે અને તાલુકા લેવલની ઘણી કચેરીઓ તેમજ કોર્ટ માળિયા (મી.)માં આવેલ છે. આ ઉપરાંત કચ્છ-ભુજ તરફ જતી બધી જ બસો પણ અહીંથી જ પસાર થાય છે. ત્યારે મળીયા (મી.) ખાતે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તો મુસાફરોની સુવિધામાં વધારો થાય તેમ છે માટે નવું બસસ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News