વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત


SHARE











મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત

મોરબીના સોખડા ગામ નજીક કપાસનું વાવેતર કરેલા ખેતરમાંથી યુવાનનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક યુવાન માનસિક બીમાર હોય ઘરે કોઈને કશું કહ્યા વગર છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો ત્યાર બાદ તેની કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સોખડા ગામે રહેતો સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (36) નામનો યુવાન માનસિક બીમાર હોય અવારનવાર પોતાના ઘરેથી નીકળી જતો હતો તેવામાં છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યાર બાદ સોખડા અને બહાદુરગઢ રોડ ઉપર આવેલ રમેશભાઈ બાલાસરાની વાડીમાં કપાસનું વાવેતર કરેલું છે ત્યાં ખેતરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં સંજયભાઈ સુરેલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રમેશભાઈ બાલાસરા રહે. કિશનગઢ સોખડા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળન કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું બીમારી સબબ મોત

વાંકાનેરના કુંભારપરામાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચરભાઇ ગોવિંદભાઈ સોલંકી (67) ને બીપીની બીમારી હોય બીમારી સબ તેઓનું ઘરે મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News