ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત


SHARE











મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત

મોરબીના સોખડા ગામ નજીક કપાસનું વાવેતર કરેલા ખેતરમાંથી યુવાનનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક યુવાન માનસિક બીમાર હોય ઘરે કોઈને કશું કહ્યા વગર છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો ત્યાર બાદ તેની કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સોખડા ગામે રહેતો સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (36) નામનો યુવાન માનસિક બીમાર હોય અવારનવાર પોતાના ઘરેથી નીકળી જતો હતો તેવામાં છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યાર બાદ સોખડા અને બહાદુરગઢ રોડ ઉપર આવેલ રમેશભાઈ બાલાસરાની વાડીમાં કપાસનું વાવેતર કરેલું છે ત્યાં ખેતરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં સંજયભાઈ સુરેલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રમેશભાઈ બાલાસરા રહે. કિશનગઢ સોખડા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળન કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું બીમારી સબબ મોત

વાંકાનેરના કુંભારપરામાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચરભાઇ ગોવિંદભાઈ સોલંકી (67) ને બીપીની બીમારી હોય બીમારી સબ તેઓનું ઘરે મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News