મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
SHARE
મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
મોરબીના સોખડા ગામ નજીક કપાસનું વાવેતર કરેલા ખેતરમાંથી યુવાનનો કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવેલ છે અને મૃતક યુવાન માનસિક બીમાર હોય ઘરે કોઈને કશું કહ્યા વગર છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો ત્યાર બાદ તેની કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના સોખડા ગામે રહેતો સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (36) નામનો યુવાન માનસિક બીમાર હોય અવારનવાર પોતાના ઘરેથી નીકળી જતો હતો તેવામાં છ થી સાત દિવસ પહેલા પોતાની રીતે ઘરેથી નીકળી ગયો હતો અને ત્યાર બાદ સોખડા અને બહાદુરગઢ રોડ ઉપર આવેલ રમેશભાઈ બાલાસરાની વાડીમાં કપાસનું વાવેતર કરેલું છે ત્યાં ખેતરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં સંજયભાઈ સુરેલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની રમેશભાઈ બાલાસરા રહે. કિશનગઢ સોખડા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળન કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધનું બીમારી સબબ મોત
વાંકાનેરના કુંભારપરામાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચરભાઇ ગોવિંદભાઈ સોલંકી (67) ને બીપીની બીમારી હોય બીમારી સબબ તેઓનું ઘરે મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે