વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ મોરબીમાં કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા મોરબીમાં દેશી દારૂ ભરેલ રિક્ષા સહિત 88 હજારના મુદામાલ સાથે બે પકડાયા, બે મહિલાની શોધખોળ: બે બોટલ દારૂ સાથે એક પકડાયો-એકની શોધખોળ વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત: મોરબીમાં યુવતીએ ફાંસો ખાઈને જીવા ટૂંકાવ્યું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન


SHARE













ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ખેડૂતોની ટ્રેક્ટર રેલી મોરબીમાં યોજાશે

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટંકારા થી મોરબી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન: હજારો ખેડૂતો જોડાશે

ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા તા. 02/02/2026 ના રોજ સવારે 9.30 વાગ્યાથી ઐતિહાસિક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધીની આ રેલી યોજાશે. જેમાં મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, થરાદ અને અમદાવાદ જિલ્લા સુધીના ખેડૂતો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં 25 - 30 વર્ષ સુધી મહાકાય વીજ લાઈનોના થાંભલાઓ ઉભા રહે, જ્યાંથી વીજ લાઈન પસાર થાય એ ખેતર બિન ખેતી ન થાય, વીજ લાઈન માટે સરકારે નક્કી કરેલા કોરિડોર + બન્ને બાજુ દશ દશ મીટર અમે મકાન, ગોદામ ન કરી શકે, ખેતરમાં જ નાળિયેરી જેવા બાગાયતી પાકોના બગીચા કરવા હોય તો ન કરી શકે અને તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તોયે સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે.

વર્ષ 2013 નો જમીન સંપાદન કાયદો એમ કહે છે કે ખેડૂતોને માર્કેટભાવના 4 ગણું વળતર આપવું, 2025 ની કેન્દ્ર સરકારની SOP એમ કહે છે કે, માર્કેટભાવના બે ગણું વળતર આપવું, રાજસ્થાન સરકારની 2025 ની SOP એમ કહે છે કે માર્કેટભાવના 4 ગણું વળતર આપવું  તો માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય એ રીતે જંત્રી ભાવે વળતર આપવાના પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે. ત્યારે આ ઐતિહાસિક ટ્રેક્ટર યાત્રાનો ઉદેશ્ય 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર માટે રાજસ્થાન સરકાર જેમ પરિપત્ર કર્યો એમ ગુજરાત સરકાર પણ વહેલામાં વહેલો પરિપત્ર કરે નહીંતર આગામી દિવસોમાં આ રેલી ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે જેથી ચાર ગણા ભાવનો પરિપત્ર કરવાની માંગ સાથે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે.






Latest News