મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘૂટું રોડ ઉપરથી સગીરાનુ અપહરણ, તપાસ શરૂ


SHARE











મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનામાંથી સગીરાનુ અપહરણ

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં રોજગારી માટે થઈને આવેલ અને જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની 16 વર્ષની સગીર દીકરીનું ગત તા. 12/1 ના રોજ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે જેથી તેને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ સગીરાનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એસ.એચ.ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે

મહિલા દાઝી જતાં સારવારમાં

મોરબી તાલુકાના હરીપર (કે) ગામે આવેલ ગ્રાફીટો કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘીરીબેન રામજીભાઈ (42) નામના મહિલા તાપણા પાસે બેઠા હતા દરમિયાન કોઈ કારણસર તે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના વિજયનગર વિસ્તારની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુબેન પુનાભાઈ મકવાણા (60) તથા ભુપેન્દ્રભાઈ પુનાભાઈ મકવાણા (38) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News