ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી


SHARE











મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી

મોરબીના શ્રી કરિયાણા મર્ચન્ટ એસોસિયેશનની મિટિંગ મળી હતી અને જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સહિતના અન્ય હોદ્દેદારોની વરણીઓ કરવામાં આવી હતી.

મોરબીના કરિયાણા મર્ચન્ટ એસોસિએશનની નવી વરાયેલી ટીમમાં પ્રમુખ તરીકે સચિનભાઈ વોરા (ભગત) ની વરણી કરવામાં આવેલ છે.જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ પદે મનીષભાઈ હીરાણીની, મંત્રી પદે હિતેનભાઈ પલાણ, સહમંત્રી પદે વિમલભાઈ પલાણ, ખજાનચી તરીકે જીગ્નેશભાઈ માનસેતા, સહ ખજાનચી તરીકે રાજનભાઈ માનસેતાની વરણી કરવામાં આવેલ છે.જ્યારે કારોબારી સભ્યો તરીકે મુકેશભાઈ ચંદારાણા, સાગરભાઇ પુજારા, મિતુલભાઈ કોટક, જયેશભાઈ કોટેચા અને કૌશિકભાઇ પટેલની વરણી કરવામાં આવેલ છે.જેને સર્વ સભ્ય દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.વધુમાં એસોસિએશનના પ્રમુખ સચિનભાઈ વોરા દ્વારા સર્વે સભ્યોને જણાવવામાં આવેલ છે કે જે કોઈ કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના સભ્યને ફૂડ લાઇસન્સ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે ફૂડ લાઇસન્સ કઢાવી લેવાના રહેશે.તેમજ જો આપની નોંધણી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનમાં ન થયેલી હોય તો તમારી નોંધણી કરાવી દેશો.તેમ પ્રમુખ અને મંત્રીએ યાદીમાં જણાવેલ છે.વધુ વિગત માટે સંસ્થાના પ્રમુખ સચિનભાઈ (મો.૯૮૭૯૮ ૮૦૦૦૮), ઉપપ્રમુખ મનીષભાઈ હીરાણી (મો.૯૮૨૫૦ ૯૪૫૬૦) અથવા મંત્રી હિતેનભાઈ પલાણ (મો.૯૮૨૫૨ ૧૦૬૦) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.






Latest News