હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરપંચની ચુંટણીમાં ધારાસભ્યના પત્ની હાર્યા


SHARE











મોરબી જીલ્લામાં સરપંચની ચુંટણીમાં ધારાસભ્યના પત્ની હાર્યા

મોરબી જીલ્લામાં  આવેલ ત્રાજપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં ધારાસભ્યના પત્ની ઉમેદવાર હતા જેની સામે હરીફ ઉમેદવારને વધુ મત મળ્યા છે જેથી કરીને હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાના પત્ની ત્રાજપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં હાર્યા છે

મોરબી તાલુકાની ત્રાજપર ગ્રામ પંચાયતની ચુંટણીમાં હળવદના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાના પત્ની જશુબેન પરષોતમભાઈ સાબરીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી અને આગૌ તે ત્રાજપર પંચાયતના સરપંચ હતા જો કે, આ વખતે તેઓએ ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ફરી ઉમેદવારી નોંધાવી હતી જેમાં મત ગણતરીના અંતે ત્રાજપર ગ્રામ પંચાયત ચુંટણીમાં ધારાસભ્યના પત્ની જશુબેન પરષોતમભાઈ સાબરીયાની હાર થયેલ છે અને આ ગામમાં સરપંચ તરીકે જયંતીભાઈ ઝીન્ઝુંવાડિયાનો વિજય થયો છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વિનોદભાઇ નાથાભાઇ ડાભીની આગેવાનીમાં આ વખતે ત્રાજપર ગ્રામ પંચાયતની ચૂંટણી હરીફ ઉમેદવાર લડ્યા હતા જેમાં ધારાસભ્યના પત્નીને હારનો સામનો કરવો પડ્યો છે






Latest News