મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીની મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી મચ્છુ નદીમાં માનસર અને રવાપર નદી ગામની વચ્ચે ચેકડેમ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જો કે, તેને રિપૅર કરવામાં આવતો નથી જેથી ખેડૂતોની ૧૨૦૦  હેક્ટર કરતા પણ વધારે ખેતીની જમીનને હાલમાં સીંચાઈનું પાણી નદીમાંથી મળતું નથી જેથી કરીને મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ આપના આગેવાન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી ઉપર માનસર અને સમાકાંઠે રવાપર ગામની સીમને જોડતો એક ચેકડેમ બાંધવવામાં આવેલ હતો જેને અર્જુન સાગર નામ આપવામાં આવ્યું હતું. આ ચેકડેમ અતિવૃષ્ટિમાં તૂટી જવા પામેલ હતો જે  છેલ્લે ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે. અને તેને રીપેરીંગ કરવા માટેની રજુઆતો કરવામાં આવી હતી પરંતુ ખનીજ માફિયાઓના લાભાર્થે અમુક લોકો દ્વારા આ ચેકડેમના થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ચેકડેમ બનાવથી આશરે ૧૨૦૦  હેક્ટર કરતા પણ વધારે ખેતી લાયક જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થયેલ હતી. જે સુવિધા હાલમાં મળી રહી નથી માટે જો ચેકડેમ રીપેર કરવામાં આવશે તો બધા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. જેથી કરીને ચેકડેમ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો બધા ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News