મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીની મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી મચ્છુ નદીમાં માનસર અને રવાપર નદી ગામની વચ્ચે ચેકડેમ હતો જે ઘણા સમયથી તૂટી ગયેલ છે જો કે, તેને રિપૅર કરવામાં આવતો નથી જેથી ખેડૂતોની ૧૨૦૦  હેક્ટર કરતા પણ વધારે ખેતીની જમીનને હાલમાં સીંચાઈનું પાણી નદીમાંથી મળતું નથી જેથી કરીને મચ્છુ નદીમાં આવેલ અર્જુન સાગર ચેકડેમને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ આપના આગેવાન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી ઉપર માનસર અને સમાકાંઠે રવાપર ગામની સીમને જોડતો એક ચેકડેમ બાંધવવામાં આવેલ હતો જેને અર્જુન સાગર નામ આપવામાં આવ્યું હતું. આ ચેકડેમ અતિવૃષ્ટિમાં તૂટી જવા પામેલ હતો જે  છેલ્લે ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે. અને તેને રીપેરીંગ કરવા માટેની રજુઆતો કરવામાં આવી હતી પરંતુ ખનીજ માફિયાઓના લાભાર્થે અમુક લોકો દ્વારા આ ચેકડેમના થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ચેકડેમ બનાવથી આશરે ૧૨૦૦  હેક્ટર કરતા પણ વધારે ખેતી લાયક જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થયેલ હતી. જે સુવિધા હાલમાં મળી રહી નથી માટે જો ચેકડેમ રીપેર કરવામાં આવશે તો બધા ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. જેથી કરીને ચેકડેમ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો બધા ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News