મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 મહિનાથી ગેરહાજર રહેલા કોન્સટેબલ સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 મહિનાથી ગેરહાજર રહેલા કોન્સટેબલ સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાતો કોન્સ્ટેબલ છેલ્લા 6 મહિના જેટલા સમયથી ગેરહાજર હોય તેને ત્રણ નોટિસની બજવણી કરવામાં આવી હતી છતાં પણ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તે મનસ્વી રીતે ગેરહાજર રહેલ હતો અને ફરજમાં બેદરકારી રાખી હતી જેથી કરીને ફરજમાં બેદરકાર રહેલ કોન્સ્ટેબલ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાનભાઈ ગત તા. 16/6 થી ગેરહાજર છે અને ત્યારબાદ નિયમ અનુસાર હાજર થવા માટે તેને ત્રણ નોટિસની બજવણી કરવામાં આવી હતી છતાં પણ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર તે મનસ્વી રીતે ગેરહાજર રહેલ છે અને પોતાની ફરજ ઉપર હાજર થયેલ નથી અને ફરજમાં બેદરકારી રાખી છે અને ગેરહાજર રહેલ હોવાથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા ફરજમાં બેદરકારી રાખનારા કોન્સ્ટેબલ માણસુરભાઈ દેવદાનભાઈ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે જી.પી. એક્ટની કલમ 145 મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા અમીનાબેન ઇલ્યાસભાઈ સુમરા (60) નામના વૃદ્ધાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News