મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત


SHARE











હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત

70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક

હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન મનજીભાઈ પરમારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રૂક્ષ્મણીબે ઉર્ફે રૂખીબેન મનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 70, રહે. ટીકર (રણ), તા.હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે દિવા-બત્તી કરતી વખતે દીવાની જાળ પહેરેલ કપડે લાગી જતા દાઝી ગયા હતા.તેમને તત્કાલ હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. અહીંથી મોરબી સિવિલમાં ખસેડાયા હતા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, રૂખીબેનને 2 પુત્ર છે. પરિવાર ખેતી કરે છે. વૃદ્ધાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News