ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત


SHARE











હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત

70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક

હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન મનજીભાઈ પરમારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રૂક્ષ્મણીબે ઉર્ફે રૂખીબેન મનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 70, રહે. ટીકર (રણ), તા.હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે દિવા-બત્તી કરતી વખતે દીવાની જાળ પહેરેલ કપડે લાગી જતા દાઝી ગયા હતા.તેમને તત્કાલ હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. અહીંથી મોરબી સિવિલમાં ખસેડાયા હતા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, રૂખીબેનને 2 પુત્ર છે. પરિવાર ખેતી કરે છે. વૃદ્ધાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News