મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત


SHARE













હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન પરમારનું સારવાર દરમ્યાન મોત

70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક

હળવદના ટીકરમાં દાઝી ગયેલા વૃદ્ધા રૂખીબેન મનજીભાઈ પરમારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.70 વર્ષીય રૂખીબેન રાજકોટ સિવિલમાં દાખલ હતા જ્યાં આજે સવારે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રૂક્ષ્મણીબે ઉર્ફે રૂખીબેન મનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 70, રહે. ટીકર (રણ), તા.હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે દિવા-બત્તી કરતી વખતે દીવાની જાળ પહેરેલ કપડે લાગી જતા દાઝી ગયા હતા.તેમને તત્કાલ હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. અહીંથી મોરબી સિવિલમાં ખસેડાયા હતા અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, રૂખીબેનને 2 પુત્ર છે. પરિવાર ખેતી કરે છે. વૃદ્ધાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News