ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજિત 11 માં સમૂહલગ્નમાં 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાયા


SHARE











મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજિત 11 માં સમૂહલગ્નમાં 15 યુગલ લગ્નગ્રંથીએ જોડાયા

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસિડેન્સી ખાતે મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન કરાયું હતું અને આ સમૂહલગ્નમાં સંતો મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના આશીર્વાદ સાથે નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા.

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા ગઇકાલે મોરબીમાં સમૂહલગ્નનું લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ રામકો રેસીડેન્સી, બોરીયા પાટી પાસે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 દીકરા દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ત્યારે નવદંપતી આશીર્વાદ આપવા માટે સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિતના હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને મેરૂભાઈ કંઝરિયા, રાજેશભાઈ મકવાણા, માવજીભાઈ નકુમ, લખમણભાઇ કંઝરિયા, ગોકળભાઈ ડાભી, રાઘવજીભાઈ કંઝરિયા, નરેશભાઈ કંઝરિયા, કાળુભાઈ નકુમ અને ગોવિંદભાઈ હડિયલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી આશાબેન નકુમ, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને સતવારા સહકાર મંડળના પ્રમુખ લલીતભાઈ કંઝરિયા તેમજ જયંતીલાલ ડાભી, મનસુખભાઈ નકુમ, વિજયભાઈ પરમાર, ઉમેશભાઈ પરમાર, પ્રેમજીભાઈ સોનાગ્રા, દેવકણભાઈ નકુમ અને મેરૂભાઈ કંઝરિયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News