મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યશાળાનું આયોજન


SHARE











મોરબીમાં ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યશાળાનું આયોજન

મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અધ્યયન મંડળ દ્વારા આગામી ગુરુવારે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.

આવતા ગુરુવારે તા ૨૨/૦૧/૨૬ ના રોજ રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રાખવામા આવેલ છે. આ કાર્યશાળામાં સાયલા વાળા દેવેન્દ્રભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર પ્રાંત અભિલેખાગાર પ્રમુખ ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય (ભાગ-૨) પર  માર્ગદર્શન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ  ચાલે છે. અને રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન (કાર્યશાળા)માં જોડાવવા માટે મોરબી અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશ પનારા તેમજ સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા અપિલ કરવામાં આવી છે.






Latest News