મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યશાળાનું આયોજન


SHARE













મોરબીમાં ગુરુવારે અધ્યયન મંડળ દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે કાર્યશાળાનું આયોજન

મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે અધ્યયન મંડળ દ્વારા આગામી ગુરુવારે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.

આવતા ગુરુવારે તા ૨૨/૦૧/૨૬ ના રોજ રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યશાળા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રાખવામા આવેલ છે. આ કાર્યશાળામાં સાયલા વાળા દેવેન્દ્રભાઈ દેસાઈ, સૌરાષ્ટ્ર પ્રાંત અભિલેખાગાર પ્રમુખ ભારતીય શિક્ષણ વર્તમાન અને ભાવી વિષય (ભાગ-૨) પર  માર્ગદર્શન આપશે. આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ  ચાલે છે. અને રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચામાં કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું  યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન (કાર્યશાળા)માં જોડાવવા માટે મોરબી અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશ પનારા તેમજ સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા અપિલ કરવામાં આવી છે.






Latest News