જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી


SHARE









મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે કારખાનાઓના લીધે પ્રદૂષણ ફેલાઈ છે જેની અનેક વખત રજૂઆત કરી છે તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે જેથી કરીને ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા ગ્રામજનોને સાથે રાખીને ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગોર ખીજડીયા ગામના ગૌતમ મોરડીયાએ જણાવ્યુ છે કે, ગામના સિમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં અનેક કારખાના આવેલ છે અને તેમાંથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેથી કરીને ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને નદીનું પાણી પણ પ્રદુષિત થઈ રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીને પણ નુકશાન થાય છે જેથી અગાઉ જીપીસીબી અને એનજીટી સુધી રજૂઆત કરાઇ છે અને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે તો પણ પ્રદૂષણનો પ્રશ્ન ઉલેકાયેલ નથી અને તંત્રની બેદરકારીના લીધે 3 મહિના પહેલા કેમિકલયુક્ત પાણીના કારણે અનેક માછલાઓના મોત પણ થયા હતા. અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરી માહિનામાં ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીના ચેરમેનને લેખિત રજૂઆત કરાઇ હતી તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ત્યારે જો આગામી 2થી 3 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો સરપંચ સહિત ગ્રામજનો ભૂખ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News