વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી


SHARE











મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે કારખાનાઓના લીધે પ્રદૂષણ ફેલાઈ છે જેની અનેક વખત રજૂઆત કરી છે તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે જેથી કરીને ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા ગ્રામજનોને સાથે રાખીને ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગોર ખીજડીયા ગામના ગૌતમ મોરડીયાએ જણાવ્યુ છે કે, ગામના સિમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં અનેક કારખાના આવેલ છે અને તેમાંથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેથી કરીને ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને નદીનું પાણી પણ પ્રદુષિત થઈ રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીને પણ નુકશાન થાય છે જેથી અગાઉ જીપીસીબી અને એનજીટી સુધી રજૂઆત કરાઇ છે અને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે તો પણ પ્રદૂષણનો પ્રશ્ન ઉલેકાયેલ નથી અને તંત્રની બેદરકારીના લીધે 3 મહિના પહેલા કેમિકલયુક્ત પાણીના કારણે અનેક માછલાઓના મોત પણ થયા હતા. અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરી માહિનામાં ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીના ચેરમેનને લેખિત રજૂઆત કરાઇ હતી તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ત્યારે જો આગામી 2થી 3 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો સરપંચ સહિત ગ્રામજનો ભૂખ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News