વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા  હળવદના કાવડિયા ગામનો બનાવ: કામ ધંધો સરખો ન કરે ત્યાં સુધી પરત આવવાની રિસામણે બેઠેલ પત્નીએ ના પડતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવરી ગામેથી યુવતી ગુમ


SHARE











વાંકાનેરના રાતીદેવરી ગામેથી યુવતી ગુમ

વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી ગામે રહેતા પરિવારની યુવતી ઘરે કોઈને કશું કર્યા વગર જતી રહી છે જેથી ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકાના રાતીદેવી ગામે રહેતા રમેશભાઈ ગોકળભાઈ વોરા (58)એ તેની દીકરી સોનલબેન રમેશભાઈ વોરા (24) ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેમાં જણાવ્યુ છેકે, ગત તા. 13/1 ના બપોર 1 વાગ્યાથી લઈને તા.14/1 ના સવારના 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેની દીકરી ઘરે કોઈ કશું કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો નથી જેથી હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળિયા મીંયાણાના સોનગઢ પાસે બસ પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં સિરિનબેન હાજીભાઈ ચાનિયા (૨૮) તથા ખતીજાબેન રફિકભાઈ સાયચા (૩૫) બંને રહે.વવાણીયાને અત્રે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા તેમજ મહેશભાઈ શાંતિભાઈ પરમાર (૪૧) રહે.ગાંધીધામ (કચ્છ) ને પીપળીયા ચોકડીથી બરાર જતા રસ્તે બસ પલ્ટી મારી જવાના બનાવમાં ઇજા પામેલ હાલતમાં તેઓને પણ અત્રે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા દિનેશભાઈ શામજીભાઈ હળવદિયા (૪૫) રહે. લક્ષ્મીનગરને અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News