મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ

મોરબીમા રહેતા ફરીયાદી ગીરીરાજસીંહ અનોપસીહ ઝાલાએ આશરે પાંચ વર્ષ પહેલા મિત્રતા ખાતર પરેશભાઈ નાગજીભાઈ પઢીયારને રૂપીયાની અંગત જરૂરીયાત પડતા તેઓને સંબંધના નાતે વગર વ્યાજે હાથ ઉછીના રકમ રૂ.૧,૦૦,૦૦૦ આપેલ હતા.જેની પ્રોમીસરી નોટ બનાવી આપેલ જે રકમ આરોપી દસ માસમાં પરત આપી દેશે તેવુ જણાવેલ હતુ.પરંતુ આરોપી હાથ ઉછીની રકમ ફરીયાદીને પરત ન આપતા હોય જેથી આરોપીએ ફરીયાદીને લેણી રકમ પેટે એક લાખનો એચ.ડી.એફ.સી. બેંક મોરબી બ્રાંચનો જેના ચેક નં.૦૦૦૧૦૧ વાળો તા.૧૬-૮-૨૨ ના રોજ આરોપીએ પોતાની સહી કરી ફરીયાદીને આપેલો હતો.જે ચેક ફરીયાદી બેન્કમાં જમા કરાવતા તે ચેક “ફંડ ઇન્સફીસીયન્ટ” ના શેરા સાથે તા.૨૨-૯-૨૨ ના રોજ પરત ફરેલ હતો.જેથી ફરીયાદીએ ચેક રીટર્નની લીગલ નોટીસ વકીલ મારફતે રજી.એડી.થી મોકલેલ જે આરોપીને મળી ગયેલ તેમ છતા આરોપી ચેક મુજબની રકમ ભરપાઈ કરેલ નહીં જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ કાર્યવાહી અર્થે ફરિયાદીના વકીલ મારફતે મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.

આ કેશ મોરબીના મહે.જ્યુડી.મેજી.ફસ્ટ કલાસ સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નં.૭૬૮૯/૨૨ થી ચાલી જતા આરોપી વિરુધ્ધ પ્રોસેસ ઇસ્યુ કરતા આરોપી નામદાર કોર્ટમાં હાજર થયેલ અને તેમને વકીલ રોકી તેમનો બચાવ લીધેલ હતો.આરોપીના વકીલ દ્વારા ફરીયાદીની ઉલટ તપાસ લેવામાં આવેલ.પરંતુ આરોપીનો બચાવ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે.આમ, નામદાર કોર્ટે ફરીયાદી પક્ષના વકીલ દ્રારા કરવામાં આવેલ ધારદાર દલીલ માન્ય રાખીને ફરીયાદી પક્ષના પુરાવાઓને ધ્યાને લઈ આરોપી પરેશભાઈ નાગજીભાઈ પઢીયારને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવવામાં આવેલ, અને ૧ વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ.અને ચેક મુજબની રકમ કરતા ચેકની ડબલ રકમ રૂ.૨,૦૦,૦૦૦ ચુકવાનો હુકમ કરેલ છે.જે આરોપી આ રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ નેવું દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.તથા આરોપીને ચેકની રકમ રૂ.૧,૦૦,૦૦૦/- ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ ફરીયાદ દાખલથી અત્યાર સુધીનુ કુલ વ્યાજની રકમ ફરીયાદીને ચુકવી આપવા હુકમ કરેલ.આ કામમાં ફરીયાદી તરકે યુવા ધારાશાસ્ત્રી, નીતા ટી.પરમાર, હિના એન.સંધાણી, નરેશ પી.ડાભી, દેવકરણ એ.પરમાર, જલ્પા કે.વેગળ રોકાયેલા હતા.






Latest News