મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આદિવાસી સમાજનું શોષણ બંધ કરો સહિત 12 માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE











મોરબી જીલ્લામાં આદિવાસી સમાજનું શોષણ બંધ કરો સહિત 12 માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકા વિસ્તારમાં ખેતીમાં તથા ઔદ્યોગિક એકમોમાં રોજગારી માટે તેને આદિવાસી પરિવારો આવતા હોય છે અને તે લોકોનું યેનકેન પ્રકારે શોષણ કરવામાં આવતું હોય છે અને સુવિધાઓ આપવામાં આવતી નથી જેથી કરીને આજે મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની વિવિધ ૧૨ જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને તે માંગણીઅને સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી તથા ગુજરાત બહારથી ઘણા આદિવાસી પરિવારો મોરબી જિલ્લામાં ખેતીવાડી તથા ઉદ્યોગિક એકમોમાં રોજગારી મેળવવા માટે થઈને આવતા હોય છે પરંતુ તેઓને જરૂરી સેફ્ટીના સાધનો તથા પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને ઘણી વખત તેઓની બહેન દીકરીઓની સાથે અઘટિત ઘટનાઓ બને છે અને અત્યાચારો થતા હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે ત્યારે મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિવિધ ૧૨ જેટલી માંગણીઓ રજૂ કરી હતી જેમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકો માટે સૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે, તે લોકોને સેફ્ટીના સાધનો આપવામાં આવે, અતિવૃષ્ટિ કે દુષ્કાળના કારણે પાક નિષ્ફળ જાય તો તેઓને પણ ભાગિયા હોવાથી વળતર આપવામાં આવે, જંતુનાશ દવાઓ અને રાસાયણિક ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવે, ખેડૂતોની જણસનો ઊંચો ભાવ આપવામાં આવે, આદિવાસી પરિવારના બાળકોના સારા શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે, બહારથી રોજગારી માટે આવતા આદિવાસી પરિવારનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામાઓની અમલવારી કરી તેનો પૂરતો લાભ આપવામાં આવે તે સહિતની માંગણીઓ કરવામાં આવી છે અને શ્રમિક પરિવારોને વીમા પોલીસનું રક્ષણ મળે તથા આરોગ્યની સારવાર મળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ તકે અશોકભાઈ સમ્રાટ, મનસુખભાઇ ચૌહાણ, નગજીભાઇ ચૌહાણ સહિતના આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રમિકો સહિતના હાજર રહ્યા હતા. 






Latest News