મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ


SHARE











મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ

મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાના બાળકોને લઈને તેની બસ હળવદ તાલુકામાં ગયેલ હતી ત્યારે રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે બસની ટાયર ફટયું હતું જેથી કરીને બસ વીજપોલ સાથે અથડાઇ હતી જો કે, અકસ્માતના કોઈ જાનહાનિ થયેલ નથી.

મોરબીના આમરણ ગામે આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના 47 વિદ્યાર્થીઓને લઈને તેની બસ ઘુડખર અભ્યારણનો પ્રવાસ કરવા માટે ગયેલ હતી ત્યારે ત્યાંથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ ભરેલ બસ હળવદના રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે હતી ત્યારે બસનું ટાયર અચાનક ફાટ્યું હતું, જેથી બસના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. અને બસ સીધી વીજપોલ સાથે અથડાઈ હતી. જોકે, બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અને વીજપોલની ઓથ આવી જવાના લીધે તે બસ પલટી મારી ન હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. અને અકસ્માતનો આ બનાવ બનેલ હતો ત્યારે બસમાં કુલ મળીને 52 લોકો બેઠેલા હતા.






Latest News