મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

સિરમિક પ્રોડક્ટ ઉપર જીએસટી ઘટાડો-નેચરલ ગેસને જીએસટીમાં સમાવો: મોરબી સિરામિક એસો.ની કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત 


SHARE







સિરમિક પ્રોડક્ટ ઉપર જીએસટી ઘટાડો-નેચરલ ગેસને જીએસટીમાં સમાવો: મોરબી સિરામિક એસો.ની કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત 

આગામી કેન્દ્રીય બજેટ-2026 ને ધ્યાને રાખીને મોરબી સિરામિક ઉદ્યોગ માટે માળખાકીય સુવિધાઓ સહિતની બાબતોને લઈને મોરબીના સિરામિક એસો. દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટર માત્ર એક ઉદ્યોગ નહીં પરંતુ ભારત માટે એક વૈશ્વિક ઔદ્યોગિક સંપત્તિ છે. સિરામિક ઉત્પાદનો પર 5 % GST, નેચરલ ગેસને GST હેઠળ લાવવો તથા CGCRI સમાન લેબોરેટરી અને તાલીમ કેન્દ્રોની સ્થાપના જેવા પગલાં લેવામાં આવે તેઓ આ ઉદ્યોગને ઘણો ફાયદો થાય તેમ છે આટલું જ નહીં લાંબા ગાળે ટકાઉ વિકાસ, રોજગાર સર્જન અને નિકાસ વૃદ્ધિ પણ સુનિશ્ચિત થશે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ ભારતના ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, રોજગાર સર્જન તેમજ MSME આધારિત આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં સિરામિક ઉદ્યોગને હાઈ એનર્જી કોસ્ટ, ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર, વૈશ્વિક માંગમાં મંદી, લોજિસ્ટિક્સ ખર્ચ, પર્યાવરણીય અનુપાલનનું દબાણ તથા સસ્તી નાણાકીય સુવિધાઓની મર્યાદિત ઉપલબ્ધતા જેવી ગંભીર માળખાકીય અને સંચાલન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારા કેન્દ્રીય બજેટમાં સિરામિક ઉદ્યોગ માટે કેટલીક રજૂઆતો કરલે છે જેમાં સિરામિક ઉપર લાગતો GST 18 ટકામાંથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે તો સિરામિકની માંગમાં વધશે અને કરચોરી ઘટશે. MSME આધારિત સિરામિક ઉત્પાદકોને તાત્કાલિક રાહત મળશે તથા ઔપચારિકીકરણને પ્રોત્સાહન મળશે.

નેચરલ ગેસ સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય કાચો માલ છે. પરંતુ તે હજુ જીએસટીના દાયરાથી બહાર હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતો નથી અને કરનો ભાર વધે છે. જેથી નેચરલ ગેસને GST વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ માંગણી સંતોષવામાં આવે તો સિરામિક ઉદ્યોગકારોને ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વૈશ્વિક સ્તરે ભાવ સ્પર્ધાત્મકતા મોરબીના ઉદ્યોગકારોને ફાયદો થશે. આ ઉપરાંત મોરબીમાં CGCRI સમાન લેબોરેટરી, R&D તથા તાલીમ સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે. NPA માં ઘટાડા વિના સિરામિક MSME માટે વિશેષ લોન રી-સ્ટ્રક્ચરિંગ યોજના, વર્કિંગ કેપિટલ લોન પર વ્યાજ સહાય, CGTMSE ગેરંટી મર્યાદામાં વધારો વિગેરે જેવી અનેક માંગણીઓ કરવામાં આવેલ છે.






Latest News