મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ
SHARE
મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ
મોરબીના શ્રી જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ આયોજીત તેજસ્વી તારલાઓનો શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં સર્વેને સહપરિવાર આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તા.૪ ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે મીરેકલ પાર્ટી લોન્સ એસ. પી. રોડ, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં મહેમાનોનુ સ્વાગત, દિપ પ્રાગટય, સ્વાગત ગીત, તેજસ્વી તારલાઓનુ સન્માન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાંતિલાલ અમૃતિયા (રાજયમંત્રી - શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગ), દુર્લભજીભાઈ દેથરીયા(ધારસભ્ય ટંકારા-પડધરી), હેતલબેન જાકાસણીયા (સરપંચ જુના ઘાંટીલા ગ્રા.પં.) હાજર રહેશે.તેમજ બગથળા નકલંક ધામના મહંત દામજીભગત આર્શીવચન પાઠવશે.કાર્યક્રમને સફળ બનાવના સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ ત્રિભોવનભાઇ વિડજા, મંત્રી રાજેશભાઈ દેવજીભાઈ ઉભડીયા, ઉપપ્રમુખ વલ્લભભાઈ ઈશ્વરભાઈ વિડજા સુરેશભાઈ કુંવરજીભાઇ સબાપરા જહેમત ઉઠાવી રહ્યા છે.