ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ


SHARE











મોરબીના જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ દ્રારા રવિવારે ૨૪ મો સ્નેહ મિલન સમારોહ

મોરબીના શ્રી જૂના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશ્યલ ગૃપ આયોજીત તેજસ્વી તારલાઓનો શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે.જેમાં સર્વેને સહપરિવાર આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તા.૪ ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે મીરેકલ પાર્ટી લોન્સ એસ. પી. રોડ, મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં મહેમાનોનુ સ્વાગત, દિપ પ્રાગટય, સ્વાગત ગીત, તેજસ્વી તારલાઓનુ સન્માન તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાંતિલાલ અમૃતિયા (રાજયમંત્રી - શ્રમ, કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગ),  દુર્લભજીભાઈ દેથરીયા(ધારસભ્ય ટંકારા-પડધરી), હેતલબેન જાકાસણીયા (સરપંચ જુના ઘાંટીલા ગ્રા.પં.) હાજર રહેશે.તેમજ બગથળા નકલંક ધામના મહંત દામજીભગત આર્શીવચન પાઠવશે.કાર્યક્રમને સફળ બનાવના સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ ત્રિભોવનભાઇ વિડજા, મંત્રી રાજેશભાઈ દેવજીભાઈ ઉભડીયા, ઉપપ્રમુખ વલ્લભભાઈ ઈશ્વરભાઈ વિડજા સુરેશભાઈ કુંવરજીભાઇ સબાપરા જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News