મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાના મેસેજ બાદ ધમા ચકરડી: મોરબીમાં અજંતા કંપનીના પૂર્વ કર્મચારી પાસે આધાર-પુરાવા હોવા જોઈએ પછી ગ્રેચ્યુટી માટે લેબર કોર્ટમાં કેસ થાય


SHARE







સોશ્યલ મીડિયાના મેસેજ બાદ ધમા ચકરડી: મોરબીમાં અજંતા કંપનીના પૂર્વ કર્મચારી પાસે આધાર-પુરાવા હોવા જોઈએ પછી ગ્રેચ્યુટી માટે લેબર કોર્ટમાં કેસ થાય

મોરબીમાં આવેલ અજંતા કંપનીમાં કામ કરતા પૂર્વ કર્મચારીઓને ગ્રેચ્યુટી મળવાની છે તેવો મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી અજંતા કંપનીમાં અગાઉ કામ કરતાં હોય તેવા કર્મચારીઓ અને તેના પરિવારજનો ગ્રેચ્યુટીનો લાભ લેવા માટે મંગળવારના રોજ સવારે મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ એડ્વોકેટની ઓફિસે પહોચ્યા હતા. અને ત્યારબાદ તે પૈકીનાં ઘણા લોકો અજંતા કંપની ખાતે દોડી ગયા હતા જોકે, કંપનીના કર્મચારી દ્વારા આ વાતને અફવા ગણાવી છે.

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર એડવોકેટ યોગેશભાઈ રાઠોડની ઓફિસ આવેલ છે અને તેઓ લેબર કોર્ટમાં વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને થોડા સમય પહેલા તેઓએ અજંતા કંપનીમાં કામ કરતા 15 થી વધુ પૂર્વ કર્મચારીઓનો લેબર કોર્ટમાં કેસ કરીને ગ્રેચ્યુટી અપાવી હતી જેથી સોશિયલ મીડિયામાં તેને લાગતો એક મેસેજ વાયરલ થયો હતો જેમાં અજંતા કંપનીમાં અગાઉ જે કર્મચારીઓએ કામ કર્યું હોય તેમને ફોર્મ ભરવાથી ગ્રેચ્યુટી મળશે તેવું લખવામાં આવ્યું હતું. જેથી કરીને મંગળવારના રોજ સવારે એડવોકેટની ઓફિસે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો એકત્રિત થયા હતા. જોકે એડવોકેટ તેઓની મોટી ઉંમર અને નાદુરસ્ત તબિયતના લીધે હાલમાં અમદાવાદ ખાતે તેમના દીકરાના ઘરે રહે છે અને તેઓની સારવાર ચાલી રહી છે. જેથી એડ્વોકેટની ઓફિસ બંધ હોવાથી મહિલાઓ સહિતના ઘણા લોકો રાજકોટ રોડ ઉપર આવેલ અજંતા કંપનીએ પહોંચ્યા હતા. પરંતુ અજંતા કંપની દ્વારા આ પ્રકારની કોઈ પણ વાત કે જાહેરાત કોઈપણ જગ્યાએ કરવામાં આવી નથી જેથી આ મેસેજને અફવા ગણાવેલ છે.

દરમિયાન એડવોકેટ યોગેશભાઈ રાઠોડના મોબાઈલ ફોન ઉપર તેઓનો સંપર્ક કરવા માટેનો પ્રયાસ કરતાં તેઓના દીકરા સાથે ફોન ઉપર વાત થઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પિતા વર્ષોથી લેબર કોર્ટમાં એડ્વોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે અને તેમના માધ્યમથી અજંતા કંપનીના પૂર્વ કર્મચારીઓ પૈકી ૧૫ થી વધુ કર્મચારીઓને ગ્રેચ્યુટી અપાવવામાં આવી હતી જેથી પાંચ વર્ષ કે તેથી વધુ અજંતા કંપનીમાં જે કર્મચારીઓ દ્વારા કામ કરવામાં આવ્યું હોય અને તેમની પાસે લીગલી આધાર પુરાવા હોય તો આવા કર્મચારીઓના ફોર્મ ભરીને તેના આધારે ભવિષ્યમાં લેબર કોર્ટમાં કેસ કરવામાં આવે અને ત્યારબાદ કોર્ટના આદેશ મુજબ તેઓને મળવા પાત્ર થતી ગ્રેચ્યુટીની રકમ પૂર્વ કર્મચારીઓને મળી શકે છે. અત્રે ઉલ્લેખની છે કે, કોઈપણ કર્મચારી દ્વારા જો પાંચ વર્ષ કે તેથી વધુ સમયગાળા દરમિયાન કંપનીમાં કામ કરે તો નિયમ પ્રમાણે તેમના છેલ્લા પગારના અઢી ગણા રૂપિયા તેઓને ગ્રેચ્યુટી મળી શકે છે.






Latest News