મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમા ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન


SHARE











મોરબીમા ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન

મોરબીમાં 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. 

જીવમાત્રને જીવવા માટે શુદ્ધ હવા, પાણી અને ખોરાક પાયાની જરૂરીયાત છે. આજે તે મોટાભાગે અશુદ્ધ સ્વરૂપે મળે છે.  કારણ કે પર્યાવરણનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ અને પશ્ચિમી જીવન શૈલીના અનુકરણે ભારતીય પરંપરા ભુલાવી દીધી છે.  તો 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર સરસ વિચારગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન થયેલ છે.  જે તા. 28 ડિસેમ્બરને રવિવારે રાત્રે 9:00 થી 10:30 કલાક સુધી સંસ્કાર હોલ, સંસ્કાર બ્લડ બેન્ક ઉપર, પ્રથમ માળે ,જીઆઇડીસી સનાળા રોડ મોરબી ખાતે યોજાશે. જેમાં ભારતના 'વોટર વુમન ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાતા 'પંચતત્વ સંસ્થા'ના સંસ્થાપક સુશ્રી શિપ્રા પાઠકજી ઉદ્બોધન આપશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરબીના પ્રખર પર્યાવરણ પ્રેમી અને અગ્રણી સમાજસેવક ડો. મનુભાઈ કૈલા હાજરી આપશે. તો મોરબીના તમામ લોકોને કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકે જણાવ્યુ છે.






Latest News