મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમા ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન


SHARE











મોરબીમા ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન

મોરબીમાં 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર ભારતીય વિચારમંચ દ્વારા વિચારગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. 

જીવમાત્રને જીવવા માટે શુદ્ધ હવા, પાણી અને ખોરાક પાયાની જરૂરીયાત છે. આજે તે મોટાભાગે અશુદ્ધ સ્વરૂપે મળે છે.  કારણ કે પર્યાવરણનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. ઔદ્યોગિક ક્રાંતિ અને પશ્ચિમી જીવન શૈલીના અનુકરણે ભારતીય પરંપરા ભુલાવી દીધી છે.  તો 'વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓના સમાધાનનો ભારતીય દ્રષ્ટિકોણ' એ વિષય પર સરસ વિચારગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન થયેલ છે.  જે તા. 28 ડિસેમ્બરને રવિવારે રાત્રે 9:00 થી 10:30 કલાક સુધી સંસ્કાર હોલ, સંસ્કાર બ્લડ બેન્ક ઉપર, પ્રથમ માળે ,જીઆઇડીસી સનાળા રોડ મોરબી ખાતે યોજાશે. જેમાં ભારતના 'વોટર વુમન ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાતા 'પંચતત્વ સંસ્થા'ના સંસ્થાપક સુશ્રી શિપ્રા પાઠકજી ઉદ્બોધન આપશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરબીના પ્રખર પર્યાવરણ પ્રેમી અને અગ્રણી સમાજસેવક ડો. મનુભાઈ કૈલા હાજરી આપશે. તો મોરબીના તમામ લોકોને કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકે જણાવ્યુ છે.






Latest News