મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત


SHARE











વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના જીનપરા પ્રતાપપરા શેરી નં-7 માં રહેતા વૃદ્ધને ડાયાબિટીસની બીમારી હોય તેની સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બેભાન થઈ ગયા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના જીનપરા પ્રતાપરા શેરી નં-7 માં રહેતા વિનોદરાય પ્રભુલાલ કટારીયા (62) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેમને ડાયાબિટીસની બીમારી હોય જેથી કરીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને હોસ્પિટલે પહોંચશે ત્યારે ડોક્ટરે તેમને જોઈ તપાસીને પછી મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

1200 લીટર આથો ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં છતર જવાના રસ્તે નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ મનસુખભાઈ લોરીયા રહે. કોટડા નાયાણી તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News