મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને તેમના ધર્મપત્નીએ મંચ ઉપર સાધુને પગરખા પહેરાવીને 27 વર્ષ જૂની માનતા પૂરી કરાવી


SHARE













મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને તેમના ધર્મપત્નીએ મંચ ઉપર સાધુને પગરખા પહેરાવીને 27 વર્ષ જૂની માનતા પૂરી કરાવી

મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકપ્રિય અને લડાયક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પત્ની જ્યોત્સ્નાબેન અમૃતિયા દ્વારા ગઈકાલે ઉમટાઉનશીપ ખાતે યોજાયેલ કાર્યકર્તા અભિવાદન સમારોહમાં સાધુને પગરખા પહેરાવતા હતા જેથી કરીને સ્વભાવિક છે કે, લોકોના મનમાં પ્રશ્ન ઊભા થાય કે મંત્રી શા માટે સાધુને પગરખા પહેરાવી રહ્યા છે.

તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે, જે સાધુને હાલમાં મંત્રી અને તેમના પત્ની પગરખા પહેરાવી રહ્યા છે તેમનું સાચું નામ જેરામભાઈ જેલોજા છે અને તેઓ મોરબી તાલુકાના પીપળી ગામના મૂળ રહેવાથી છે હાલમાં તેઓ બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે માતાજી કનકેશ્વરીના સાનિધ્યમાં રહીને ખોખરા હનુમાનની સેવા પૂજા કરી રહ્યા છે જોકે, વર્ષ 1985-86 માં જ્યારે કાંતિભાઈ અમૃતિયા મોરબી તાલુકા પંચાયતના સદસ્ય હતા ત્યારે જેરામભાઈ જેલોજા કે જેને હાલમાં લોકો જદેવાનંદજી મહારાજના નામથી જાણે છે તેઓ પણ તાલુકા પંચાયતના સદસ્યા હતા અને ત્યારે કાંતિભાઈની સાથે રહીને લોક સેવાના લોક ઉપયોગી અનેક કામો કર્યા હતા અને ત્યારથી તેઓ કાંતિભાઈના સમર્થક પણ હતા. જોકે, ત્યાર બાદ તેઓએ ભગવો ધારણ કરી લીધો હતો પરંતુ વર્ષ 1998 માં કાંતિભાઈ અમૃતિયા જ્યારે બીજી વખત ધારાસભ્ય બન્યા ત્યારે કાંતિભાઈ અમૃતિયા લાલ લાઈટ વાળી ગાડી લઈને મોરબી આવે એટલે કે મંત્રી બનીને મોરબી આવે ત્યાં સુધી તેઓ પગરખા નહીં પહેરે તેવી માનતા રાખી હતી અને હવે જ્યારે કાંતિભાઈ અમૃતિયાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ થઈ ગયો છે ત્યારે ખુદ કાંતિભાઈ અમૃતિયા તથા તેમના પત્નીએ જયદેવાનંદજી મહારાજને સ્ટેજ ઉપર બોલાવીને પોતાના હાથે પગરખા પહેરાવીને તેઓની માનતા પૂરી કરાવી હતી. આમ 27 વર્ષે દેવાનંદજી મહારાજે પોતાની માનતા પૂરી કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, હાલમાં કાંતિભાઈ અમૃતિયા જે કેન્સરની બીમારીની સારવાર લઈ રહ્યા છે તેમાંથી પણ વહેલી તકે તેઓ સારવાર લઈને તંદુરસ્ત થઈ જાય અને ફરી પાછા લોક સેવાના કાર્યમાં જોડાઈ તેના માટે તેમના અનેક સમર્થકો દ્વારા જુદા જુદા પ્રકારની માનતાઓ રાખવામાં આવી છે.






Latest News