મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો


SHARE











મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા યુવાન સહિતના રહેવાસીઓને બિલ્ડરો દ્વારા લાઈટ, પાણી, ગટર વિગેરેની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હતી અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 8 બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માનધામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર (44)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ કાલરીયા, ચિંતનભાઈ ગામી, મહાવીરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નિલેશભાઈ ગામી, જગદીશભાઈ એરવાડીયા, અંકિતભાઈ નેસડિયા, પ્રવીણભાઈ ગામી અને કિશોરભાઈ શેરસીયા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને અન્ય લોકોએ માનસધામ સોસાયટીમાં મકાન લીધેલ છે અને આરોપી તમામ બિલ્ડર હોય રેસીડેન્સીયલ સોસાયટી બનાવતા હોય છે તેવી જ રીતે માનસ ધામ સોસાયટી બનાવેલ હતી અને ત્યાં રહેતા ફરિયાદી તથા સોસાયટીના રહેવાસીઓને લાઈટ, પાણી, ગટર વિગેરેની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું હતું ત્યાર પછી ફરિયાદી તેમજ સોસાયટીના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી જેથી ફરિયાદી સહિત સોસાયટીના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ ભટ્ટ ચલાવી રહ્યા છે






Latest News