ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો


SHARE











મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા યુવાન સહિતના રહેવાસીઓને બિલ્ડરો દ્વારા લાઈટ, પાણી, ગટર વિગેરેની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હતી અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 8 બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માનધામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર (44)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ કાલરીયા, ચિંતનભાઈ ગામી, મહાવીરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નિલેશભાઈ ગામી, જગદીશભાઈ એરવાડીયા, અંકિતભાઈ નેસડિયા, પ્રવીણભાઈ ગામી અને કિશોરભાઈ શેરસીયા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને અન્ય લોકોએ માનસધામ સોસાયટીમાં મકાન લીધેલ છે અને આરોપી તમામ બિલ્ડર હોય રેસીડેન્સીયલ સોસાયટી બનાવતા હોય છે તેવી જ રીતે માનસ ધામ સોસાયટી બનાવેલ હતી અને ત્યાં રહેતા ફરિયાદી તથા સોસાયટીના રહેવાસીઓને લાઈટ, પાણી, ગટર વિગેરેની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું હતું ત્યાર પછી ફરિયાદી તેમજ સોસાયટીના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી જેથી ફરિયાદી સહિત સોસાયટીના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ ભટ્ટ ચલાવી રહ્યા છે






Latest News