મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો


SHARE













મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના લોકોને પ્રાથમિક સુવિધા ન આપતા 8 બિલ્ડરો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા યુવાન સહિતના રહેવાસીઓને બિલ્ડરો દ્વારા લાઈટ, પાણી, ગટર વિગેરેની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી ન હતી અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 8 બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ માનધામ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ મોતીભાઈ પરમાર (44)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષભાઈ કાલરીયા, ચિંતનભાઈ ગામી, મહાવીરસિંહ દિલીપસિંહ જાડેજા, રાજદીપ નિલેશભાઈ ગામી, જગદીશભાઈ એરવાડીયા, અંકિતભાઈ નેસડિયા, પ્રવીણભાઈ ગામી અને કિશોરભાઈ શેરસીયા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને અને અન્ય લોકોએ માનસધામ સોસાયટીમાં મકાન લીધેલ છે અને આરોપી તમામ બિલ્ડર હોય રેસીડેન્સીયલ સોસાયટી બનાવતા હોય છે તેવી જ રીતે માનસ ધામ સોસાયટી બનાવેલ હતી અને ત્યાં રહેતા ફરિયાદી તથા સોસાયટીના રહેવાસીઓને લાઈટ, પાણી, ગટર વિગેરેની સુવિધાઓ પૂરી પાડવાનું વચન આપ્યું હતું ત્યાર પછી ફરિયાદી તેમજ સોસાયટીના રહેવાસીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ નથી જેથી ફરિયાદી સહિત સોસાયટીના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળ વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ ભટ્ટ ચલાવી રહ્યા છે






Latest News