હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઋષભનગરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના ઋષભનગરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં સમગ્ર જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે સામાકાંઠે આવેલ ઋષભનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભગવાન શ્રીકૃષ્ણચંદ્રના ચરિત્રો, ગુણો અને મહિમાઓના ગુણાનુવાદ સાથે શાસ્ત્રોનો લાભ લેવા માટે આયોજકોએ નગરજનોને આમંત્રણ આપ્યું છે.

મોરબીમાં આવેલ ઋષભનગરમાં ચબૂતરા પાસે (ગરબી ચોકમાં)  કથા તા 24/12 થી શરૂ થશે અને તા 31/12 ના રોજ તેનો વિરામ થશે. અને કથાનો સમય દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી રહેશે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ કથાના વક્તા તરીકે ભાગવતાચાર્ય શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે વ્યાસાસનેથી શ્રોતાઓને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથા દરમિયાન પોથી યાત્રા, ભાગવતજી માહાત્મ્ય, કપિલ પ્રાગટ્ય, નૂર્સિંહ જન્મ, વામન જન્મ, શ્રી રામ જન્મ ,શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, શ્રી કૃષ્ણ- રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર,પરીક્ષિત મોક્ષ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે અને કથા દરમિયાન કોઈપણ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પિતૃઓનું પૂજન, ભાગવતજી પૂજન તેમજ કથામાં આવતા ઉત્સવોના પ્રસંગોમાં લાભ લેવા ઇચ્છતા યજમાનોએ શાસ્ત્રીજી (8000911444) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કથાનું આયોજઋષભનગર, મહાવીરનગર, નીલકંઠ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, ધર્મ સિદ્ધિ સોસાયટીના તમામ મહિલા મંડળ  દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ કથાનો લાભ લેવા આયોજકોએ ભાવિક ભકતોને આમંત્રણ આપ્યું છે.






Latest News