ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ


SHARE











મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

મોરબીમાં ઢોર પકડવા માટેની મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં માત્ર માલધારીઓની ગાયોને જ પકડવામાં આવે છે જો કે, રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી તેવો અણીદાર આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીના લોકોને રજડતા ઢોરની પીડામાંથી મુક્તિ માટે તે માટે મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેની સામે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કરેલ છે અને સોશિયલ મીડિયામાં મૂકેલા વિડિયોમાં તેઓએ કહ્યું છે કે, મહાપાલિકા દ્વારા માત્ર ગૌમાતા અને વાછરડીને જ પકડવામાં આવે અને તેને દૂર ગામડામાં મૂકવામાં આવે છે ત્યાર બાદ માલધારીઓ પાસેથી દંડ લેવામાં આવે છે અને ગાયને ત્યાંથી પછી લાવવા માટે પણ માલધારીને આર્થિક ડામ લાગે છે જો કે, રસ્તે રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી માટે મહાપાલિકા દ્વારા માલધારીઓનું હિત વિચારીને કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને લોકોને રજડતા નદીઓનો ત્રાસ છે તેને પકડવા માટેની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News