વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી નવયુગ BCA-B.Sc કોલેજ દ્વારા ગીતા જયંતી અને નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્ર્મ યોજાયો


SHARE











મોરબી નવયુગ BCA-B.Sc કોલેજ દ્વારા ગીતા જયંતી અને નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્ર્મ યોજાયો

નવયુગ કોલેજના BCA વિભાગ દ્વારા ગીતા જયંતી નિમિત્તે સકારાત્મક અને આધ્યાત્મિક વાતાવરણમાં ગીતા જયંતી ઉજવાઈ હતી અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગીતાના મૂળ તત્ત્વો અને સારને સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતો. ત્યારે પોસ્ટરો તૈયાર કરીને કર્મ કરો, ફળની ચિંતા ન કરો”, “યોગઃ કર્મસુ કૌશલમ્”, “જ્યારે મન નિશ્ચિત થાય ત્યારે સફળતા નિશ્ચિત છેજેવા પ્રેરણાદાયી સૂત્રો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ ગીતા વિષે સંક્ષિપ્ત વક્તવ્ય આપી, આજના ડિજિટલ યુગમાં ગીતાના ઉપદેશો જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે તે સમજાવ્યું હતું અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. અંતમાં વિદ્યાર્થીઓએ ગીતાના માર્ગદર્શક સૂત્રોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. આવી જ રીતે B.Sc વિભાગ દ્વારા અનોખી ગીતા જયંતી ઉજવણી કરીને સિનિયર વિદ્યાર્થીઓએ ગીતામાં જણાવાયેલા જીવનમૂલ્યો અને ગીતાનો ટૂંકો સાર પોતાના વિચારો સાથે લખીને જુનિયર વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપ્યો હતો. જયારે નર્સિંગ વિભાગ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોલેજના વિદ્યાર્થીઓએ વીરપર તેમજ લજાઈ ગામ અને PHC સેન્ટર ખાતે નાટક દ્વારા એઇડ્સ અંગે જાગૃતિ ફેલાવી હતી આ નાટકમાં એઇડ્સના કારણો, નિવારણ, સારવાર અને ગેરમાન્યતાઓ અંગે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. સાથે એઇડ્સ દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવાનો માનવતાપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.






Latest News