મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષિકાનો અનોખો સેવાયજ્ઞ
ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા
SHARE
ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા
મોરબીના સહકાર ક્ષેત્રના અગ્રણી તેમજ કૃભકોના ચેરમેન મગનભાઇ વડાવીયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને ખેડુતોના હીત માટે મોરબીના માળીયા મિંયાણા ખાતે સીસીઆઇ નું કેન્દ્ર ખોલવા માટે રજુઆત કરેલ છે.
તેઓએ વધુમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં કપાસનું ઉત્પાદન ઘણાં દિવસોથી તૈયાર થઈ ગયેલ હોવાથી ખેડૂતો સી.સી.આઈ. કેન્દ્ર ખુલવાની રાહ જોઈ રહયાં છે.ખેડૂતોને કપાસ ઘરમાં રાખવામાં મુશ્કેલી પડે છે.તેમજ ખુલ્લાં બજારમાં કપાસના ૧ મણના ભાવ રૂા.૧૩૦૦ ની આસપાસ આવે છે.માળીયા તાલુકામાં કપાસની કવોલીટી પણ ખુબ સારી હોવાથી સી.સી.આઈ.ને સારો કપાસ મળી રહેશે.તેથી સી.સી.આઈ. દ્વારા તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી કૃભકો (ન્યુ દિલ્હી) ના ડીરેકટર મગનલાલ ડી.વડાવિયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને માંગ કરેલ છે.