મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા


SHARE







ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા

મોરબીના સહકાર ક્ષેત્રના અગ્રણી તેમજ કૃભકોના ચેરમેન મગનભાઇ વડાવીયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને ખેડુતોના હીત માટે મોરબીના માળીયા મિંયાણા ખાતે સીસીઆઇ નું કેન્દ્ર ખોલવા માટે રજુઆત કરેલ છે.

તેઓએ વધુમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં કપાસનું ઉત્પાદન ઘણાં દિવસોથી તૈયાર થઈ ગયેલ હોવાથી ખેડૂતો સી.સી.આઈ. કેન્દ્ર ખુલવાની રાહ જોઈ રહયાં છે.ખેડૂતોને કપાસ ઘરમાં રાખવામાં મુશ્કેલી પડે છે.તેમજ ખુલ્લાં બજારમાં કપાસના ૧ મણના ભાવ રૂા.૧૩૦૦ ની આસપાસ આવે છે.માળીયા તાલુકામાં કપાસની કવોલીટી પણ ખુબ સારી હોવાથી સી.સી.આઈ.ને સારો કપાસ મળી રહેશે.તેથી સી.સી.આઈ. દ્વારા તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી કૃભકો (ન્યુ દિલ્હી) ના ડીરેકટર મગનલાલ ડી.વડાવિયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને માંગ કરેલ છે.






Latest News