મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મઢમાંથી 500 ગ્રામ ચાંદીના બે છત્તરની ચોરી


SHARE













વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મઢમાં માતાજીના ફોટા ઉપર ચડાવેલ ચાંદીના બે છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી 40,000 રૂપિયા ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા હેમંતભાઈ ધુળાભાઈ રંગપરા (35)એ વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઇ જાદવ રહે. મોટીમોલડી તાલુકો ચોટીલા તથા એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢએ આરોપીઓ બાઈક લઈને આવ્યા હતા અને ત્યાં માતાજીના ફોટો ઉપર ચડાવવામાં આવેલ 500 ગ્રામ ચાંદીના બે છત્તર ની ચોરી કરીને લઈ ગયેલ છે જેથી 40,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News