મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો


SHARE











મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ દારૂના કેસમાં નામ ખુલેલ હોય અને પકડાયેલ હોય મોરબી એલસીબી સ્ટાફ દ્વારા બુટલેગર ઈસમની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે મંજૂર થતા તેને પકડીને હાલ સુરતની મધ્યસ્થ લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં સંડોવાયેલ રવિ ભૂદરભાઇ પનારા કોળી (ઉમર ૨૪) રહે.નળખંભા તા.થાન જી. સુરેન્દ્રનગરની સામે એલસીબી પીઆઇ પંડ્યાની સૂચનાથી પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા સ્ટાફ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા હાલ રવિ ભુદરભાઇ કોળી રહે.નળખંભાને પાસા હેઠળ પકડવામાં આવ્યો હતો અને હાલ તેને સુરતની મધ્યસ્થ લાજપોર જેલ ખાતે મૂકવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામના રહેવાસી ગૌરીબેન રૂગનાથભાઈ ભીમાણી નામના ૬૩ વર્ષીય મહિલા શનાળા પાસે આવેલ પટેલ વાડી નજીકથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે તેઓ ત્યાંથી પડી ગયા હોય અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારામાં આવેલ હવેલી શેરી ખાતે રહેતા જાગૃતીબેન ચંદ્રકાંતભાઈ પટેલ નામના ૫૫ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબી રવાપર ચોકડીથી બસ સ્ટેશન બાજુ જતા રસ્તે સરદાર પટેલ ચોક ખાતે બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યા હતા.તેમજ શનાળા પાસેના ટાટાના શોરૂમ નજીક રહેતા રમાબેન સંજયભાઈ રાજપુત નામના ૨૮ વર્ષના મહિલા કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી જતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા






Latest News