તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ટ્રેડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે આવેલ રેલ્વેના વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજરને વિવિધ પ્રશ્નનોને લઇને સિરામીક એસોસીએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સે કરી રજૂઆત


SHARE











મોરબી ટ્રેડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે આવેલ રેલ્વેના વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજરને વિવિધ પ્રશ્નનોને લઇને સિરામીક એસોસીએશન તેમજ ચેમ્બર ઓફ કોમર્સે કરી રજૂઆત

મોરબી ખાતે વેસ્ટર્ન ઝોનના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તા ટ્રેડ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે રેલ્વે સ્ટેશન મોરબીમાં આવેલ હતા.ત્યારે હાલમાં મોરબી સિરામિક ઉધોગ દ્રારા સિરામિક ટાઇલ્સ રેલ્વે દ્રારા પરિવહન થાય તે રફાલેશ્વર કોનકોર ગતિશક્તિ ટર્મિનલ અને મોરબી રેલ્વે યાર્ડમાં ડીપી વલ્ડ દ્રારા જે માલનુ પરિવહન થાય છે.તે સિરામિક ઉધોગ અને અન્ય ઉધોગ માટે આશિર્વાદ રુપ છે.ટાઇલ્સના પરિવહન માટે રેલ્વેનો ઉપયોગ વ્યાપક થાય તો ઉધોગોને બુસ્ટ મલી શકે છે તે બાબતે ઉંડાણપુર્વક ચર્ચા અને રજુઆત થઇ હતી.આ ઉપરાંત હાલમાં રફાલેશ્વર ફાટક એલસી નંબર-૨૧  ખુબ જ સાંકળી હોય ભયંકર ટ્રાફિકની સમસ્યાઓ થાય છે તે બાબતની જીએમને સિરામીક એસોસિએશન દ્રારા રજુઆત કરવામાં આવી  હતી.

જેમાં મોરબી શહેર કેનાલ રોડને નેશનલ હાઈવે નંબર-૨૧ ને જોડતો રસ્તો તથા સિરામિક ક્લસ્ટરમાં આવવા જવા માટે આ ફાટકેથી પસાર થવું પડે છે.ઉપરાંત નેશનલ હાઈવે ઉપરથી આવતા હેવી વાહનો તથા નવા થયેલા કોનકોર  કન્ટેનર ડેપોમાં આવતા જતા કન્ટેનરના હેવી વાહનો આ ફાટક ઉપરથી પસાર થાય છે.આ ફાટક પાસે જ નવું ગતિશક્તિ ટર્મિનલ હાલમાં જ કાર્યરત થયુ હોય ભયંકર ટ્રાફિક સમસ્યા ઉભી થાય છે.એકંદરે આ ફાટક ઉપરથી અન્ય હેવી વાહનો તથા કન્ટેનર  વાહનો તથા વાંકાનેર તરફથી આવતાં-જતાં અન્ય નાનામોટા વાહનોના ટ્રાફિક તથા જ્યારે ડેમુ તથા માલગાડીને કારણે જ્યારે ફાટક બંધ થાય છે ત્યારે હેવી ટ્રાફિક થાય જાય છે.જે ટ્રાફિક ને રિકવર થતાં ટ્રેન પસાર થયા બાદ અડધો કે એક કલાક જેટલો સમય લાગે છે.જ્યા ટ્રાફિક વ્યવસ્થિત થાય ત્યાં બીજી ટ્રેન આવતા આમ આખો દિવસ બહુ મૂલ્ય એવાં માનવ કલાકો તથાં ઇંધણ વેડફાઈ છે.સિગ્નલ વગર ફાટક હોવાથી વધુ સમય વેડફાઇ છે. જેથી આ ફાટકને પહોળી કરી ઇન્ટરલોક કરવી જરુરી છે.

ફાટક નંબર-૨૧ ની પહોળાઈ  જેતે વખતના ટ્રાફિકની જરૂરિયાત મુજબ વન-વે વાહન પસાર થાય તે મુજબ છે.હાલમાં એક સમયે એક જ ટ્રક પસાર થાય છે જે ખુબ જ મોટી ટ્રાફિક સમસ્યા ઉભી કરે છે.હાલના ટ્રાફિકની આવક-જાવક મુજબ ફોર લેન-વે મુજબની કરવામાં આવે તો દરરોજના આ પ્રશ્નનો કાયમી નિકાલ થતાં બહુમૂલ્ય એવા માનવ કલાકો તથા ઇંધણની બચત થાય અને ગતિ શક્તિ ટર્મિનલ કોનકોરને ગતિ આપવા માટે કાળજીપૂર્વક સર્વે કરાવી ફાટકની પહોળાઈ વધારીને ઇન્ટરલોક ફાટક કરવા અંગેની એસો. દ્રારા રજુઆત કરવામાં આવી હતી.તદ ઉપરાંત મોરબીમાં સિરામિક ઉધોગ ઉપરાંત અન્ય ઉધોગો કાર્યરત હોય જેમાં બહારથી પ્રવાસી મજુરો સતત આવતા જતા હોય તેમના માટે વિવિધ રાજયની લાંબા અંતરની ટ્રેનની સવિશેષ જરૂરીયાત હોય તે અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્રારા ધારદાર રજુઆત કરાઇ હતી.તેમ મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્રારા યાદીમાં જણાવાયેલ છે






Latest News