મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તો ધોવાઈ ગયો છે જેથી અવારનવાર અકસ્માત થવાનો ભય રહે છે તેમ છતાં પણ સ્થાનિક અધિકારી અને તંત્ર દ્વારા તે ખાડા પૂરવા માટે રોડ રીપેર કરવા માટેની તસ્તી લેવામાં આવતી નથી જેથી જાગૃત સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરીને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ટંકારાના વીરપર ગામે રહેતા હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીથી ટંકારા સુધીનો જે ફોરટ્રેક રસ્તો આવેલો છે તેમા ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને વરસાદના કારણે રસ્તો ઘણી જગ્યાએ ધોવાઈ ગયો છે જેથી મોરબીથી ટંકારા સુધીના રસ્તામાં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને જીવલેણ અકસ્માત થવાની શક્યતા છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી અને કર્મચારી દ્વારા તે રોડને રીપેર કરવા માટેની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી ત્યારે આ રોડમાં પડેલા ખાડા વહેલી તકે બુરવામાં આવે અને રોડને ટ્રાફિક માટે રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં જણાવ્યુ છેકે, આ રોડ ઉપર ઘણા બધા શૈક્ષણિક સંકુલ આવેલા છે તેમજ 24 કલાક રોડ ટ્રાફિકની ધમધમતો હોય છે ત્યારે રોડ ઉપરના ખાડાના લીધે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલા રોડના ખાડા બુરવામાં આવે તે જરૂરી છે






Latest News