મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત


SHARE











મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા વૃદ્ધને ચક્કર આવ્યા હતા ત્યાર બાદ હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું જેથી મૃતદેહને દવાખાને લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા પરસોતમભાઈ ગાંડુભાઈ ચાવડા (65) નામના વૃદ્ધને તા. 26 ના રોજ સવારે 11:00 વાગ્યાના અરસામાં ચક્કર આવ્યા હતા ત્યાર બાદ તેઓને સારવાર માટે દવાખાને લઈને આવ્યા હતા અને તે દરમ્યાન વૃદ્ધને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી વૃદ્ધનું મોત નીપજયું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.ચાવડા દ્વારા કરવામાં આવી હતી

માર મારતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ હરિઓમ રેસ્ટોરન્ટની પાછળના ભાગમાં રહેતા ઘનશ્યામ અજુભાઈ રાજપૂત (36) નામના યુવાનને રેસ્ટોરન્ટના માલિકે ઝઘડો કરીને માર મારતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

સરા મુળી રોડ ઉપર રા ચોકડી પાસે બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જે બનાવમાં ગીતાબેન રજનીકાંત ભાલોડીયા (50) નામના મહિલાને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News