ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામે નડતરરૂપ વીજપોલ ખડસેડવાનું કહેવા માટે ગયેલા ખેડૂત સહિત ત્રણ ઉપર હુમલો કરનાર બે કારખાનેદારોની ધરપકડ


SHARE







મોરબીના ટિંબડી ગામે નડતરરૂપ વીજપોલ ખડસેડવાનું કહેવા માટે ગયેલા ખેડૂત સહિત ત્રણ ઉપર હુમલો કરનાર બે કારખાનેદારોની ધરપકડ

મોરબીની અવની ચોકડી પાસે આવેલ જયઅંબે નગરમાં આવેલા ઓમ પેલેસ એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૬૦૩ માં રહેતા જયેશભાઇ વલ્લભભાઇ કૈલા (૩૮) એ ઓસીસ સિરામીક વાળા કેતનભાઇ કરશનભાઇ ઝાલરીયા અને હીતેશભાઇ કરશનભાઇ ઝાલરીયા સામે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં બંને ની ધરપકડ કરવામાં આવેલ છે.

ભોગ બનનારે જેતે સમયે ફરીયાદમાં પોલીસને જણાવ્યુ હતુ કે, તેઓનું ટિંબડી ગામની સીમમાં ખેતર આવેલ છે અને ખેતરમાં જવાના રસ્તા વચ્ચે કારખાનામાં વીજ પુરવઠો લઈ જવા માટે વીજપોલ ઊભો કરવામાં આવેલ છે જેથી કરીને વીજપોલ દૂર કરવા માટે રજૂઆત કરવા માટે તેઓ અને હરેશભાઇ વલભભાઇ કૈલા તથા દીનેશભાઇ વશરામભાઇ કૈલા કારખાનાના માલીકને મળવા માટે ગયા હતા ત્યારે કારખાનેદારે તમે બધા મારા કારખાને શા માટે આવેલ છો..? તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફરિયાદી યુવાનને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને હવે કારખાના બાજુ આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એકટા કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં તપાસ અધીકારી એમ.એલ.બારૈયાએ કેતનભાઇ કરશનભાઇ ઝાલરીયા (૩૮) અને હીતેશભાઇ કરશનભાઇ ઝાલરીયા (૩૬) રહે.બંને રીલાયન્સનગર સોસાયટી રવાપર રોડ મોરબીની ઉપરોકત મારામારીના ગુનામાં ધરપકડ કરેલ છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News