મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત: આંદરણા પાસે અકસ્માતમાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE













મોરબીના મકનસર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત: આંદરણા પાસે અકસ્માતમાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબીના મકનસર ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે આંદરણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં ઇજા થવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા મોજેરામ કેશવદાસ સાધુ (55) નામના આધેડ મોરબી વાંકાનેર રોડ મકનસર ગામ પાસે હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા અને ચરાડવા ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસે રેતીના ઢગલા પાસેથી અજાણ્યો યુવાન અકસ્માતમાં ઈજા થવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા અજાણ્યા 32 વર્ષના યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા સુમિતભાઈ ધીરુભાઈ મિયાત્રા (15) નામનો બાળક માતાજીના મંદિરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News