મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે


SHARE







મોરબીના લોકો-ઉદ્યોગકારોના પ્રશ્નો માટે કાલે કેન્દ્રિય ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી આવેદનપત્ર પાઠવશે

મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી નથી અને ભાજપના નેતા આવે ત્યારે ટેમ્પરરી કામ કરવામાં આવે છે તેને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના કાર્યાલયે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં લોકોના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે તેમજ સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો, એક્સપોર્ટમાં બેનિફિટ આપો તેમજ કેનાલને લગતા પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવે તેવી માંગ સાથે કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયે પંકજભાઈ રાણસરીયા સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જણાવ્યુ હતું કે, ભાજપ દ્વારા પોતાના નેતા અને કાર્યકરોની સુવિધા માટે કરોડોના ખર્ચે કમલમ કાર્યાલય ઉભું કરે છે અને મોરબીના વર્ષો જુના પ્રાણ પ્રશ્નો આજે પણ યથાવત છે. જેથી કરીને આમ આદમી પાર્ટી દ્વારા કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને આવેદનપત્ર આપવામાં આવશે. નેતાઓના આગમન પહેલા કરવામાં આવતા રોડ રસ્તા સહિતના પ્રાથમિક સુવિધાના કામ ટેમ્પરરી કરવાના બદલે લોકોના પ્રશ્નોને આજીવન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. તેમજ મોરબીની સિરામિક પ્રોડકટ ઉપર લાગતો જીએસટી ઘટાડો કરવામાં આવે, એક્સપોર્ટમાં બેનિફિટ આપવામાં આવે, જિલ્લામાં આવેલ ત્રણેય બ્રાંચ કેનાલના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવામાં આવે તે સહિતની માંગણીઓને લઈને કેન્દ્રિય ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.






Latest News