મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનની ચીટીંગના ગુનામાં શાહપુર પોલીસ દ્વારા અટકાયત; સગીરાની પજવણી કરનાર જેલ હવાલે


SHARE













મોરબીના યુવાનની ચીટીંગના ગુનામાં શાહપુર પોલીસ દ્વારા અટકાયત; સગીરાની પજવણી કરનાર જેલ હવાલે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ ક્રાંતિ જયોત એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધવલ પ્રભુભાઈ ચાપાણી પટેલ (ઉ.33)ની તપાસમાં શાહપુર પોલીસ મથકના પીએસઆઈ એ.એસ. કસ્મતરાવ મોરબી આવ્યા હતા. ત્યાં તેમના પોલીસ મથક ખાતે નોંધાયેલ બીએનએસ કલમ 318 (4), 316 (2) એટલે કે છેતરપીંડીના ગુનામાં ધર્મેન્દ્રભાઈ ચાપાણીની સંડોવણી સામે આવતા તપાસના કામે તેને ત્યાં લઈ જવાયેલ હોવાનું સ્થાનીક પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

જયારે થોડા સમય પહેલા મોરબીના વાવડી રોડ ઉપર રહેતા યુવાનના ઘરે પરણીતાએ ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો. જે બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જે બાદ પોકસો એકટ મુજબ દાખલ થયેલા ગુનામાં એ ડીવીઝન પીઆઈ આર.એસ. પટેલે રવિભાઈ હિરાભાઈ સવસેરા બોરીચા (ઉ.27) રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો હતો.

જયારે રાજસ્થાનના જોધપુર જીલ્લાના બીલાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરીયાદમાં સંડોવાયેલ રામનિવાસ પપ્પુરામ બીશ્ર્નોઈ રહે. લાંબા બીલાડા જોધપુર રાજસ્થાન વાળો મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસેના બાલાજી કેરીયર ખાતે હોવાની બાતમી મળતા ત્યાંના પોલીસે અત્રે આવી હસ્તગત કર્યો હતો તેમ સ્થાનીક પોલીસ સુત્રોએ જણાવેલ છે.

યુવાન ગુમ

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ચામુંડા ફરસાણ નામની દુકાનેથી ઉઘરાણીનું કહીને હળવદ જવા નિકળેલ યુવાન ગુમ થવા પામેલ છે. આ અંગે કપીલભાઈ કાંતિલાલ ભલસોડ પ્રજાપતિ (30) રહે. કુંભાર શેરી મહેન્દ્રપરાએ પોલીસમાં જણાવ્યા પ્રમાણે ગત તા.12ના બપોરે બે વાગ્યાના અરસામાં તેમના મોટાભાઈ સંજયભાઈ કાંતિલાલ ભલસોડ (40) રહે. કુંભારશેરી વાળા દુકાનેથી ઉઘરાણી માટે હળવદ જવાનું કહીને નિકળ્યા બાદ ગુમ થયેલ છે. હાલ ગુમસુધા નોંધ દાખલ કરીને પોલીસે ગુમ થયેલા સંજયભાઈને શોધવા તજવીજ શરૂ કરેલ છે.

જયારે વાવડી રોડ ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતા રજનીકાંત પોપટભાઈ પટેલ (58) નામના આધેડ રવાપર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે ત્યાં સ્લીપ થઈ જતા સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે લઈ જવાયા હતા






Latest News