ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામના ખેડૂતો-ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ: સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો


SHARE











મોરબીના આંદરણા ગામના ખેડૂતો-ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ: સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડી આપનો ખેસ ધારણ કર્યો

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા ગરમી વિસ્તારોમા પ્રવાસ કરવામાં આવી રહ્યો છે તેવામાં આંદરણા ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાઇ હતી જેમાં ખેડૂતો સહિતના ગામના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે ભાજપના ધારાસભ્યની નીતિરીતિથી નારાજ થઈને ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત 200 જેટલા ગામના યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે.

મોરબી તાલુકાના આંદરણા ગામે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તથા પ્રદેશના આગેવાનની હાજરીમાં ખેડૂતોને ગ્રામજનો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગામના ખેડૂતો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે આંદરણા ગામના સરપંચ નિતેશભાઇ ચાવડા તેમજ ઉપસરપંચ અનિલભાઈ મારવાણીયાની આગેવાની હેઠળ ગામના 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ખાસ કરીને આ બેઠકમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાન કે.ડી.બાવરવા, મોરબી જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે ગામના આગેવાને ગામના લોકોને કેનાલની જમીન માટે કપાત, રોડ રસ્તા, ગામનું તળાવ ભરવા સહિતના જે પ્રશ્નો છે તેને ઉલેકવા માટે ભાજપના ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ આજ દિવસ સુધી તેઓના એક પણ કામને કરવામાં આવ્યું નથી. જેથી ભાજપના ભાજપના ધારાસભ્ય અને આગેવાનોની નીતિરીતિથી નારાજ થઈને ગામના સરપંચ સાહિત 200 જેટલા યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે






Latest News