મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે પ્રથમ વખત આવશે મોરબીમાં: કમલમ કાર્યલયનું કરશે ઉદ્ઘાટન: પ્રદેશ પ્રમુખનું કરાશે સન્માન


SHARE











કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે પ્રથમ વખત આવશે મોરબીમાં: કમલમ કાર્યલયનું કરશે ઉદ્ઘાટન: પ્રદેશ પ્રમુખનું કરાશે સન્માન

મોરબીના શનાળા ગામ પાસે બનાવવામાં આવેલ કમલમ કાર્યાલયનું કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે તેની સાથોસાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે જેમાં સમગ્ર મોરબી જિલ્લા અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહેશે.

મોરબી નજીકના સનાળા ગામ પાસે કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે તેનું કાલે તા 21 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરવાના છે અને તેઓની સાથો સાથ ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોપણ યોજવાનો છે જેથી ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને અંદાજે પાંચ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્મમાં હાજર રહે તેવી શક્યતા છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત અને દેશમાં જેને રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખવામાં આવે છે તે અમિત શાહ કાલે પ્રથમ વખત મોરબીના આંગણે આવી રહ્યા છે ત્યારે તેઓની ભાવિ સ્વાગત કરવા માટેની તમામ તૈયારીઓ ભાજપ પરિવાર દ્વારા કરી લેવામાં આવેલ છે અને ખાસ કરીને મોરબી જિલ્લાના લોકોને કાલે કમલમ કાર્યાલય બીજી કોઈ કોઈ નવી ભેટ મળે તેવી પણ શક્યતા છે. આ કાર્યકમમાં મોરબી જિલ્લાના તમામ સાંસદો, ધારાસભ્યોએ સહિતના આગેવાનો અને હોદદારો સહિતના હાજર રહેશે.   




Latest News