મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત


SHARE













ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

ટંકારાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ કારણોસર સગીર બાળક પડી ગયો હતો જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું અને તે બાળકના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો હતો અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ કુવાની અંદર સગીર બાળક પડી ગયો હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને કુવાના પાણીમાં પડી જવાથી પાણીમાં ડૂબી જવાના કારણે સગીર બાળકનું મોત નીપજયું હતું તે બાળકના મૃતદેહને ખાટલાની મદદથી ફાયરની ટીમે કૂવાની બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના સગીર બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક બાળકનું નામ જયદીપ મહેશભાઈ ભાભોર હોવાનું ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકી પાસેથી જાણવા મળેલ છે.






Latest News