હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો


SHARE











વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો

ગાંધીનગર GCERT પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ૨૦૨૫/ ૨૬  વિકસિત ગુજરાત ૨૦૪૭ અંતર્ગત સીઆરસી કક્ષાની ઉજવણી શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળા ખાતે કરવામાં આવી હતી જે કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને વાદન સ્પર્ધા યોજવામાં આવી હતી. તે તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો તેમજ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અને ભાગ લીધેલ બાળકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનારા વિધાર્થીઓને જામસર સીઆર સી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. તેમજ તાલુકા શાળાના આચાર્ય સોલકી વિનોદભાઈ તેમજ આચાર્ય અને શિક્ષકો દ્વારા રોકડ ઈનામ, બોલપેન અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે શિલ્ડ અને બોલપેનના દાતા મક્તાનપર પ્રા.શાળાના શિક્ષક બાવરવા નરેન્દ્રભાઈ હતા આ આયોજનને સફળ બનાવવા માટે અનુદાનિત નિવાસી પ્રા.શાળાના આચાર્ય અદ્રોજા જિગ્નેશભાઈ અને શાળા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવામા આવી હતી.






Latest News