મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને સહાય આપવા માટેની માંગ કરી હતી.

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સરકારની નીતિરીતિ સામે પ્રહાર કરીને કહ્યું હતું કે, કુદરતી આફતમાં ખેડૂતોને નુકશાન થયું છે તે જગ જાહેર છે તો પછી સર્વે કરીને સહાય આપવામાં વિલંબ કરવાના બદલે તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં કિશોરભાઇએ જણાવ્યુ હતું કે, વર્ષ 2008માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા ખેડૂતોના ધીરાણ માફ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે હાલમાં ખેડૂતો ઉપર કુદરતી આફત આવી પડી છે ત્યારે ખેડૂતોનું ધીરાણ માફ કરવું જોઈએ. અને સર્વેની પ્રક્રિયા વિના ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News