ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ

માળીયા મિયાણા તાલુકાનાં સરવડ ગામે કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને સહાય આપવા માટેની માંગ કરી હતી.

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સરકારની નીતિરીતિ સામે પ્રહાર કરીને કહ્યું હતું કે, કુદરતી આફતમાં ખેડૂતોને નુકશાન થયું છે તે જગ જાહેર છે તો પછી સર્વે કરીને સહાય આપવામાં વિલંબ કરવાના બદલે તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં કિશોરભાઇએ જણાવ્યુ હતું કે, વર્ષ 2008માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા ખેડૂતોના ધીરાણ માફ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે હાલમાં ખેડૂતો ઉપર કુદરતી આફત આવી પડી છે ત્યારે ખેડૂતોનું ધીરાણ માફ કરવું જોઈએ. અને સર્વેની પ્રક્રિયા વિના ખેડૂતોને થયેલ નુકસાની સામે સીધું જ વળતર આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News