મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો


SHARE













મોરબી જેટકોના સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.આર.અગ્રાવતનો નિવૃત્ત વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર 220 કેવી એસ.એસ.ના લાઇન ઇન્સ્પેક્ટર હરેશભાઈ આર. અગ્રાવત વય મર્યાદાને લઇ નિવૃત્ત થાય છે ત્યારે તેમનો નિવૃત્ત સન્માન સમારંભ વાંકાનેરમાં આવેલ ફળેશ્વર મહાદેવની જગ્યામાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં નાયબ ઇજનેર રામાણીભાઈ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા તેમજ પરમારભાઈ સહિતના ઇજનેરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અને અ.ગુ.વિ.કા.સઘં હોદેદારો એમ.કે.ઝાલા, ઉપાધ્યાયભાઇ, નટુભા ઝાલા તેમજ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓએ હરેશભાઈનું સન્માન કર્યું હતું. ઉલેખનીય છે કે, હરેશભાઈ ૧૯૮૬ થી જોડાયા હતા અને ૨૦૨૫ માં નિવૃત થયેલ છે. જેથી જેટકો તરફથી પ્રમાણપત્ર આપીને તેઓને બીરદાવવામાં આવ્યા હતા. અને કાર્યક્રમના અધ્યક્ષ રામાણીભાઈએ હરેશભાઈને ચાંદીનો સિક્કો આપ્યો હતો અને અન્ય લોકોએ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિડજાભાઈ અને કે.આઈ.ગોસાઈએ કર્યું હતું હતું.  






Latest News