હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના ભાજપના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જોગીઓ પણ આ સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એક મેકને નવા વર્ષની સહુ કોઈએ શુભેચ્છા પાઠવી હતી.

નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેર સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાતા હોય છે તેવી જ રીતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિભાગના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને ઉમા ટાઉનશીપ ખાતે આજે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકાના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સહુ કોઈએ એકમેકના મો મીઠા કરાવીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સહુ કોઈને મોરબી જિલ્લાના વિકાસ કામોમાં સહયોગ આપવા અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે સારામાં સારા કામ થાય તે માટે સહકાર આપવા જણાવ્યું હતું તેમજ જનસંઘથી તેઓની સાથે જોડાયેલા જુના જોગીઓ પણ આ આજે સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહ્યા હોય તેઓએ પોતાની જૂની યાદોને તેઓની સાથે આજે તાજા કરી હતી






Latest News